Team Chabuk-Political Desk: કરવા ચોથના એક કાર્યક્રમમાં રવિવારે સ્થાનીય હોટલમાં પહોંચેલી પૂર્વ કેન્દ્રિય મંત્રી અને સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું હતું કે, નવજોતસિંહ સિદ્ધુના આગમનથી કોંગ્રેસ કોમેડી શો બની ચૂકી છે. પ્રદેશના નવા મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની માત્ર ફોટોશૂટ મંત્રી છે. મુંબઈથી સોની ટીવી આવી કોંગ્રેસ પર સિરીયલ બનાવે.
સાંસદે મીડિયાની સાથે વાત કરતા કહ્યું હતું કે, સાડા ચાર વર્ષ સુધી કોંગ્રેસ સરકારે પંજાબ માટે કંઈ નથી કર્યું અને હવે કેપ્ટન અમરિન્દરસિંહને બાદલની સાથે સાઠગાંઠ હોવાનું બહાનું બતાવી ખુરશી પરથી ઉતારી દેવામાં આવ્યા. હવે નવા મુખ્યમંત્રી પ્રદેશ માટે કામ કરવાની જગ્યાએ પોતાનું ફોટોશૂટ કરાવીને ફક્ત સોશિયલ મીડિયા અને વિજ્ઞાપન સુધી સિમિત રહી ગયા છે. જેનાથી પ્રદેશની જનતા પીસાઈ રહી છે.
હરસિમરત કૌરે કહ્યું હતું કે, પંજાબમાં કોંગ્રેસના રાજમાં મંડીઓમાંથી ખેડૂતોનો પાક ખરીદવામાં નથી આવી રહ્યો. આ સિવાય જે ખેડૂતોનો પાક બર્બાદ થયો છે, તેમને કોઈ વળતર આપવામાં નથી આવ્યું. પ્રધાનમંત્રી યોજના હેઠળ જે ગરીબ લોકોનો ઉપચાર થતો હતો એ પણ સરકાર પાસેથી પૈસા ન મળવાના કારણે બંધ થઈ ગયો.
નાણામંત્રી મનપ્રીત બાદલ પોતાના શહેરમાં જ ફોગિંગ નથી કરાવી શકતી. જેથી શહેરના દરેક ઘરમાં ડેન્ગ્યૂ અને મલેરિયાથી પીડિત લોકો છે. કોંગ્રેસ હવે આંતરિક કલહના કારણે મજાક બની ગઈ છે. લોકો 2022ની ચૂંટણીની પ્રતીક્ષા કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત