Homeતાપણુંમોદી-યોગીના શાસનને સમાપ્ત કરવા સમાજવાદી પાર્ટીએ ‘સમાજવાદી અત્તર’ બનાવ્યું

મોદી-યોગીના શાસનને સમાપ્ત કરવા સમાજવાદી પાર્ટીએ ‘સમાજવાદી અત્તર’ બનાવ્યું

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓ અત્યારથી શરુ થઈ ચૂકી છે. અત્યારે મેદાનમાં સત્તાધારી ભાજપ પોતે કરેલા વિકાસને જનતાની સામે રાખી રહ્યો છે, જૂના ભેરું કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જોરોશોરોથી પ્રચારમાં લાગ્યા છે. સાથે જ અસદુદ્દીન ઓવૈસીએ પણ મુસ્લિમ વિસ્તારમાં કમાન સંભાળી છે. એવામાં સમાજવાદી પાર્ટીના અત્તરે ચૂંટણીને નવી સુગંધ આપી છે.

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે મંગળવારના રોજ ‘સમાજવાદી ઈત્ર’ નામનું પરફ્યૂમ લોન્ચ કર્યું હતું. આ અવસર પર સમાજવાદી એમએલસી પુષ્પરાજ જૈને કહ્યું કે, પરફ્યુમથી 2022માં નફરત પૂર્ણ થશે. આ અત્તરને કન્નોઝથી સમાજવાદી પાર્ટીના એમએલસી પમ્મી જૈને તૈયાર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ અત્તરને તૈયાર કરવામાં બે વૈજ્ઞાનિકોને ચાર મહિનાનો સમય લાગ્યો હતો. તેની ખાસ વાત એ છે કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ અત્તરમાં 22 પ્રાકૃતિક અત્તરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો તમે ઉપયોગ કરશો તો તમને સમાજવાદની સુગંધ અનુભવાશે, ભાઈચારો મહેસૂસ થશે અને કન્નૌજની માટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, 22 અત્તરનો એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે નફરતની આંધી પણ ફેલાયેલી છે. તેના આ અત્તર પૂર્ણ કરી પ્રેમનો માહોલ ઉભો કરશે. વધુમાં તેમણે કહ્યું કે, એક બીજું પ્રાકૃતિક અત્તર બનાવવાની કામગીરી થઈ રહી છે. જે 2024માં લોન્ચ થશે, જે 2024માં સમગ્ર દેશમાંથી નફરતની આંધી હટાવવાનું કામ કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments