HomeસિનેમાવાદSatish Kaushik Death: જાણીતા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું નિધન

Satish Kaushik Death: જાણીતા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું નિધન

Team Chabuk-Entertainment Desk: હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું (Satish Kaushik) હૃદયરોગના હુમલાને કારણે આજે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. તેઓના પરિવારમાં પત્ની અને પુત્રી છે. સતીશ કૌશિકના નિધનના સમાચાર એમના નિકટના મિત્ર અને સહ-બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે ટ્વિટરના માધ્યમથી જણાવ્યા છે. આ સમાચારથી બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સતીશ કૌશિકના નિધનના સમાચાર તેમના નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આપ્યા છે. તેમણે લખ્યું કે, જાણું છું કે મૃત્યુ જ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ આ વાત હું જીવતા જીવ ક્યારેક મારા જીગરી મિત્ર સતિષ કૌશિક વિશે લખીશ એ મેં સપનામાં પણ વિચાર્યું નહતું.  અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યું કે, 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will NEVER be the same without you SATISH ! ઓમ શાંતિ.

મહત્વનું છે કે, બે દિવસ પહેલાં જ જાવેદ અખ્તરના ઘરે હર્ષોલ્લાસ ભેર હોળી ઉજવી તેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. ત્યાં આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સતીષ કૌશિક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’થી ઓળખ મળી હતી.

સતીશ કૌશિકના પરિવારમાં તેમનાં પત્ની શશિ કૌશિક અને એક દીકરી વંશિકા છે. 1996માં એમનો દીકરો શાનુ કૌશિક માત્ર બે વર્ષની ઉંમરે અવસાન પામ્યો હતો. દીકરી વંશિકા અત્યારે માત્ર 11 વર્ષની છે, જેનો જન્મ 2012માં સરોગસીથી થયો હતો.

1956ની 13 એપ્રિલે હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા સતીશ કૌશિકે ઘણી હિન્દી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કર્યું હતું. એમણે કેટલીક ફિલ્મોમાં દિગ્દર્શન અને પટકથા લેખક તરીકેનું કાર્ય સંભાળ્યું હતું અને અમુક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું.

‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મમાં ‘કેલેન્ડર’ અને ‘દિવાના મસ્તાના’ ફિલ્મમાં ‘પપ્પૂ પેજર’ના ભજવેલા પાત્રો માટે તેઓ દર્શકોને આજે પણ યાદ રહી ગયા છે. 1990માં આવેલી ‘રામ લખન’ ફિલ્મ અને 1997માં આવેલી ‘સાજન ચલે સસુરાલ’ ફિલ્મમાં ભજવેલી ભૂમિકા બદલ એમને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. 1993માં એમણે ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ (અનિલ કપૂર, શ્રીદેવી) ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું હતું. ત્યારબાદ એમણે ‘પ્રેમ’ અને ‘હમ આપકે દિલ મેં રેહતે હૈં’, ‘તેરે નામ’ ફિલ્મો બનાવી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments