Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળની બહુચર્ચિત ભવાનીપુર સીટ પર ત્રીસ સપ્ટેમ્બરના રોજ મતદાન થવાનું છે. જોકે આજે સોમવારે સાંજે આ સીટ પર પ્રચાર અભિયાનના ફૂંકેયાલ રણશીંગાનો અંત આવશે. એવામાં બંને પાર્ટીઓ દ્વારા પ્રચાર અભિયાન માટે કોઈ કસર બાકી ન રહી જાય તેવી અંતિમ હદ સુધી મહેનત કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં મમતા બેનર્જીના વિજયરથને આંતરવા માટે પોતાના 80 નેતાઓનો કાફલો ઉતારી દીધો છે. આ તમામ નેતાઓ જોરોશોરોથી અંતિમ સમય સુધી અહીં પ્રચાર કરશે. સામે ટીએમસીએ પણ તૈયારીઓ કરી લીધી છે. સીટ પર મમતા બેનર્જી ઉમેદવાર હોવાથી અને આ પહેલા ભાજપને આપેલી હારના કારણે તૃણમૂલ જોશમાં છે.

ભવાનીપુર સીટ પર થનારી પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીની વિરૂદ્ધ ભાજપે પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતારી છે. ભાજપ આ સીટને કોઈ પણ ભોગે જીતવા ઈચ્છુક છે. એવામાં ભાજપે પોતાના દસ નેતાઓને તમામ વોર્ડમાં પ્રચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. જાણકારી મુજબ સવારના આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી પ્રચાર અભિયાનનું પ્રથમ ચરણ હશે. બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બીજું ચરણ પૂર્ણ થશે. આ સાથે જ ચૂંટણી અભિયાનનો દેકારો સ્થિતપ્રજ્ઞ થઈ જશે.

ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં ટીએમસીએ પણ પોતાના કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નેતાઓને પ્રચારકાર્યમાં આગળ કર્યાં છે. આ અંગે મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીનું કહેવું છે કે, અમે એ વાતને લઈ આશ્વસ્ત છીએ કે મમતા બેનર્જી ભવાનીપુર સીટ પરથી મોટી સરસાઈ સાથે જીત મેળવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત