Team Chabuk-Cinema Desk: મનોરંજન જગતના ખ્યાતનામ અભિનેતા યૂસુફ હુસૈનનું શનિવારની સવારે નિધન થઈ ગયું. નિર્દેશક હંસલ મહેતાએ આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. હંસલ મહેતાએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, મેં શાહીદના બે શેડ્યુલ પૂર્ણ કર્યા હતા અને અમે ફસાઈ ગયા હતા. એક ફિલ્મ નિર્માતાના રૂપે અનુપસ્થિત કારકિર્દી લગભગ પૂર્ણ થવાના આરે હતી. એવામાં યૂસુફ સાહેબ મારી પાસે આવ્યા. તેમણે જમા કરેલા પૈસા મને આપ્યા. તેઓ મારા શ્વસુર નહીં પણ પિતા હતા.
RIP Yusuf Husain. pic.twitter.com/laP0b1U732
— Hansal Mehta (@mehtahansal) October 29, 2021
હંસલ મહેતાએ આગળ લખ્યું છે કે, આજે તેઓ ચાલ્યા ગયા, જેથી તેઓ એ તમામ મહિલાઓને સ્વર્ગમાં જણાવી શકે કે, તે કેટલી સુંદર છે અને પુરુષોને જણાવી શકે કે, તે કેટલા જવાન છે. તમને ખૂબ પ્રેમ. હું આ નવા જીવનનો ઋણી છું. આજે હું અનાથ થઈ ગયો. જીવન પહેલા જેવું કોઈ દિવસ નહીં રહે.
Sad News!!! Condolences to @safeenahusain @mehtahansal & the entire family!!! Rest in peace Yusuf saab🙏 https://t.co/q7CFbbEo95
— manoj bajpayee (@BajpayeeManoj) October 30, 2021
યૂસુફ હુસૈને વિવાહ, ધૂમ-2, ખોયા ખોયા ચાંદ, ક્રેઝી કક્કડ ફેમિલી અને રોડ ટૂ સંગમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના નિધનની ખબરે ફેન્સને આંચકો આપ્યો છે. તેમના નિધન પર કેટલાય બોલિવુડ સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મનોજ બાજપેયીએ ટ્વીટ કરી લખ્યું છે કે, દુખદ ખબર, યૂસુફ હુસૈનને શ્રદ્ધાંજલિ, હંસલ મહેતા અને પૂરાં પરિવારને શક્તિ મળે.
This brought tears to my eyes Hansal. Can’t begin to imagine what you’ll are feeling. My deepest condolences to all! 🙏
— Pooja Bhatt (@PoojaB1972) October 30, 2021
પૂજા ભટ્ટે લખ્યું છે કે, આ ખબરે મારી આંખોમાં અશ્રુ લાવી દીધા. હું તો કલ્પના પણ નથી કરી શકતી હંસલ, કે તમે શું અનુભવી રહ્યા હશો?
#RIP Yusuf ji. We worked together in several films starting with Kuch na kaho and lastly on Bob Biswas. He was gentle, kind and full of warmth. Condolences to his family. 🙏🏽 pic.twitter.com/6TwVnU0K8y
— Abhishek Bachchan (@juniorbachchan) October 30, 2021
તો અભિષેક બચ્ચને લખ્યું છે કે, યૂસુફજી આપણે કેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું. પહેલા કુછ ના કહો અને અંતિમ ફિલ્મ બોબ બિશ્વાસ. તમે ખૂબ જ દયાળુ હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત