Homeતાપણુંઆક્ષેપ: ‘પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા નહીં થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા...

આક્ષેપ: ‘પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા નહીં થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે…’

Team Chabuk-Political Desk: ગુજરાતની ભાજપ સરકાર અને બિન સચિવાલયનું ગઠબંધન તૂટવાનું નામ નથી લઈ રહ્યું. બિન સચિવાલયની હમણાં જ પરીક્ષા લેવાની જાહેરાત થઈ હોવાથી વિદ્યાર્થીઓ ઉંધેમાથ મચી પડ્યા હતા. જોકે હવે ફરી એક વખત પરીક્ષા કેન્સલ થઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલ પૂરતી પરીક્ષા મોફૂક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં કોંગ્રેસને ભાજપને ટાર્ગેટ કરવાની મોટી તક મળી ગઈ છે. કોંગ્રેસ આક્ષેપ લગાવતા કહી રહી છે કે, પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા નહીં થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે.

અર્જુન મોઢવાડિયાએ કર્યાં આક્ષેપ

સોશિયલ મીડિયા પર વારંવાર નિવેદનો આપી ભાજપને આડે હાથ લઈ ઝાટકણી કાઢતા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આ વખતે ટ્વીટર પર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. નેતાજીનું કહેવું છે કે, ‘પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા ન થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે. કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત નહીં રમવા દે, સરકારે ભરતી કરવી જ પડશે અને નિષ્પક્ષ રીતે કરવી પડશે.’

ત્રીજી વખત રદ્દ કરવામાં આવી

દસ લાખ વિદ્યાર્થીઓ 13 તારીખ નજીક આવતી હોય દિવસ-રાત પરીક્ષા પાસ કરવા માટે મચી પડ્યા હતા. જોકે 13નો આંકડો ખરેખર અપશુકનિયાળ સાબિત થયો હતો! આસિત વોરાએ આપેલા રાજીનામા બાદ પરીક્ષા મોફૂક રહેવાની સંભાવના હતી અને એ સંભાવના સાચી પણ પડી. આ કંઈ પહેલી વખત નથી. અગાઉ બે વખત પરીક્ષા મોફૂક રાખવામાં આવી છે. એક વખત ધોરણ 12નાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવા જેવા મુદ્દે અને બીજી વખત પેપર ફૂટવાના કારણે. હવે ત્રીજી વખત ચેરમેને આપેલા રાજીનામાના કારણે પરીક્ષા મોફૂક રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments