Homeતાપણુંઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા, ઈન્દ્રનીલે કહ્યું, આપમાં...

ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા, ઈન્દ્રનીલે કહ્યું, આપમાં ભાજપને ફેંકી દેવાની તાકાત છે

Team Chabuk-Political Desk: વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. રાજકોટ કોંગ્રેસના બે મોટા દિગ્ગજ નેતા પક્ષમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી લીધી છે. વશરામ સાગઠીયા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે રાજકોટના વોર્ડ નંબર-15 કોર્પોરેટર કોમલ ભારાઈ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્રણેય નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચ્યા હતા અને વિધિવત રીતે આપમાં જોડાયા હતા.

ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના બે મોટા નેતા આમ આદમી પાર્ટીમાં જોડાતા સૌરાષ્ટ્ર પંથકમાં અને ખાસ કરીને રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસે કુલ ચાર જ કોર્પોરેટર હતા જેમાંથી વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં હવે માત્ર બે જ કોર્પોરેટર બચ્યા છે.

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં ભારતની જનતા માટે કામ કરે છે. આમ આદમીનો જ પક્ષ બને તેવી તેમની માન્યતા છે. તેમની આ વાતથી હું પ્રભાવિત થયો હતો. મારું સ્ટેન્ડ હંમેશા લોકો માટે રહ્યું છે. કોંગ્રેસ વિકલ્પ બનાવની ક્ષમતા ખોઈ બેઠો છે. પક્ષ માટે નહીં લોકો માટે મારો સમય આપવો છે. અને લોકો માટે સમય આપવો હોય તો તેનો શ્રેષ્ઠ વિકલ્પ મને આમ આદમી પાર્ટી લાગે છે તેથી હું જોડાયો છું. આવતા દિવસો આમ આદમીના છે. ગુજરાતના આમ આદમીના છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આગળ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં ભાજપને ફેંકી દેવાની તાકાત હોવાથી અમે આ પાર્ટીમાં જોડાયા છે.

nios plate

પુષ્કળ મહેનત કરવા છતાં પણ લોકો મન મનાવીને બેઠા છે કે કોંગ્રેસને મત આપવો નથી. ગઈકાલે અરવિંદ કેજરીવાલ સાહેબને મળીને તેમના વિચારો જાણ્યા. અને એમના વિચારો જાણીને તેમની શિક્ષણનીતિ અને આરોગ્યનીતિ જોઈ. દિલ્હી અને ગુજરાતના શિક્ષણમાં ઘણો ફેર છે. કેજરીવાલના વિચારો રાષ્ટ્રવાદી છે. તેમની નીતિ સૌને સાથે લઈને ચાલવાની છે. તેમનાથી પ્રેરાઈને અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments