Team Chabuk: આજથી હોળાષ્ટક શરૂ થયું છે. આગામી આઠ દિવસ દરમિયાન જ્યોતિષ શાસ્ત્રો મુજબ કોઈ શુભ કામ ન કરવા જોઈએ અને જો કોઈ આ દિવસોમાં આવું કરે છે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે તેવો દાવો છે.
હોળીના 8 દિવસ પહેલાથી હોળાષ્ટક લાગી જાય છે. આ દરમિયાન ઘણા શુભ કાર્યો કરવાની મનાઈ છે. હોળાષ્ટકને જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, હોળાષ્ટક દરમિયાન તમામ ગ્રહો ઉગ્ર અવસ્થામાં રહે છે. એટલા માટે કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. આ વર્ષે હોળાષ્ટક 7 માર્ચ 2025 એટલે આજથી શરુ થઈ ગયા છે.
હોળાષ્ટક 7 માર્ચથી 13 માર્ચ હોલિકા દહન સુધી ચાલશે. બીજા દિવસે એટલે 14 માર્ચે ધુળેટી ઉજવાશે. હોળાષ્ટકના આઠ દિવસ અલગ અલગ ગ્રહો ક્રૂર અવસ્થામાં રહે છે. આઠમની તિથિએ ચંદ્ર, નવમી તિથિએ સૂર્ય, દશમના રોજ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ બૃહસ્પતિ, ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગળ અને પૂર્ણિમા પર રાહુ ક્રૂર હોય છે. આ દિવસમાં કોઈ પણ નવી વસ્તુ ખરીદવાની મનાઈ હોય છે.
હોળાષ્ટક દરમિયાન ગ્રહોની અશુભ અસરને ઓછી કરવા માટે બને તેટલી પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુ, ભગવાન નરસિંહ અને હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ.આ ઉપરાંત આ આઠ દિવસો સુધી મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવો જોઈએ.
હોળાષ્ટક દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. વ્યક્તિએ કોઈપણ દુકાન, પ્લોટ વગેરે જેવી મિલકત પણ ન ખરીદવી જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત