Team Chabuk-Political Desk: શિવસેના સાથે બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે. રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મહત્વની જાહેરાત કરી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ એકનાથ શિંદેને સમર્થન આપશે. તેઓ જ રાજ્યના મુખ્યમંત્રી હશે. તેમને કહ્યું કે હિન્દુત્વના નામે ભાજપ શિંદેને સમર્થન આપશે. તેઓ જ રાજ્યના મુખ્યમંત્રી હશે. ફડણવીસે એમ પણ કહ્યું કે તેઓ નવી સરકારમાં નહીં હોય. એટલે કે મંત્રી પણ નહીં બને.
ફડણવીસે વધુમાં કહ્યું કે ઉદ્ધવજીએ રાજીનામું આપ્યું ત્યારે રાજ્યને એક વૈકલ્પિક સરકાર આપવાની જરૂર હતી. સરકાર પડ્યા બાદ વૈકલ્પિક સરકાર આવશે એવું મેં પહેલાં જ કહ્યું હતું. તેથી આજે શિવસેનાના એકનાથ શિંદે જૂથ, ભાજપ અને કેટલાંક નાના પક્ષોએ મળીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો.
ભાજપે એવો નિર્ણય લીધો કે અમે એકનાથ શિંદેને સમર્થન આપીશું. આજે સાંજે 7.30 વાગ્યે એકનાથ શિંદે CM પદના શપથ લેશે. હું પોતે કેબિનેટથી બહાર રહીશ. શિદેને શિવસેનાનું સમર્થન છે, ભાજપ પણ તેમને સાથ આપશે.
એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરતાં જ શિંદે જૂથના ધારાસભ્યોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. આ ખુશીની સમાચાર સાંભળીને જ ગોવાની હોટલમાં રોકાયેલા ધારાસભ્યો નાચવા લાગ્યા હતા.
#WATCH | Eknath Shinde-faction MLAs, staying at a hotel in Goa, celebrate following his name being announced as the Chief Minister of Maharashtra. pic.twitter.com/uJVNa4N74g
— ANI (@ANI) June 30, 2022
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
