Team Chabuk-Political Desk: અમદાવાદ શહેરમાં કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા હતા. પોસ્ટરમાં મોદી હટાવો, દેશ બચાવોનું લખાણ લખવામાં આવ્યું હતું. આ પ્રકારના પોસ્ટર અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરીને પોસ્ટર લગાવનાર સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે 8 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલે ગુરુવારે ઈસનપુર, વટવા, મણીનગર, નારોલ, વાડજ તથા એરપોર્ટ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા કુલ 8 જેટલા વ્યક્તિ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 ફરિયાદો નોંધી છે અને વાંધાજનક પોસ્ટરો લગાડીને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાનું અપરાધિક કૃત્ય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લાગેલા પોસ્ટરોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટ કરીને લખવામાં આવ્યું હતું કે, અમદાવાદમાં ઠેર-ઠેર લાગ્યા “મોદી હટાવો, “દેશ બચાવો”ના બેનરો. આ જ લખાણ સામે ભાજપના ઇશારે દિલ્હીમાં 100થી વધુ FIR નોંધવામાં આવી હતી. અમદાવાદમાં લાગેલા પોસ્ટરોએ સાબિત કર્યું કે જનતા તાનાશાહી સામે ઝૂકશે નહીં. સાથે જ AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આ તસવીરો પોસ્ટ કરી હતી.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પોસ્ટ કરેલી તસવીરોમાં અમદાવાદ શહેર ઉપરાંત મહેસાણા, ડીસામાં પણ આ પ્રકારના પોસ્ટરો લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, મોદી હટાવો, દેશ બચાવો સૂત્ર લખેલા પોસ્ટર લગાવવાના મામલે આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, અમદાવાદ શહેર પ્રમુખ બીપિન પટેલ સહિતના આપના નેતાઓની અટકાયત કરી ફરિયાદ નોંધવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત