Team Chabuk-Gujarat Desk: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વડોદરામાં રોડ-શોનું આયોજન કર્યું હતું. આ રોડ શોમાં કેજરીવાલ કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હું કટ્ટર ભક્ત છું. મારો જન્મ જન્માષ્ટમી દિવસે થયો હતો. ભગવાને મને કંસની ઓલાદોનો નાશ કરવા અને આ લોકોથી મુક્તિ અપાવવા મોકલ્યો છે. હવે જનતા પરિવર્તન માગે છે.
આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના આગમનને લઈને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરામાં રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
તમામ અસુરી શક્તિઓ મારી વિરુદ્ધ એક થઇ ગયા છે. આ લોકો ગુંડાગર્દી કરે છે, ભગવાનનું અપમાન કરે છે, લોકોની આસ્થાનું અપમાન કરે છે. હું એ તમામ કંસની સંતાનોને કેહવા માંગુ છું કે મારો જન્મ પણ જન્માષ્ટમીના દિવસે થયો છે. – @ArvindKejriwal #GujaratWithAAP pic.twitter.com/cL7jqchbWp
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 8, 2022
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, અમે ગુજરાતમાં અનેક શહેરોમાં ફર્યાં છીએ. લોકો પરિવર્તન માગે છે. પંજાબમાં અમને બહુમતી મળી છે. ઝાડ પણ પત્તા બદલે છે. હવે આ સરકારને બદલો. 8700 સરકારી નોકરી પંજાબમાં આપીને આવ્યો છું. અમે તમારા સપનાને તૂટવા નહીં દઇએ. તમે આમ આદમી ને સત્તા ઉપર લાવો. ચૂંટણીને 50 દિવસ બાકી રહ્યા છે. તૈયાર થઇ જાવ. પછી પાંચ વર્ષ અમે તમારા કામ કરીશું.
કેજરીવાલ-માનના રોડ શો પહેલા શહેરમાં લાગ્યા વિરોધી પોસ્ટર
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જોકે, તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ પોસ્ટર વોર છેડાયું છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સુરત અને અમદાવાદ સહિત અનેક જગ્યાએ આમ આદમી પાર્ટી વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીએ હિન્દૂ ધર્મના દેવી દેવતાઓની પૂજા નહીં કરવા લોકોને શપથ લેવડાવતા વિવાદ થયો હતો. શહેરમાં સુરસાગર, ગાંધીનગર ગૃહ, અમિત નગર ચાર રસ્તા સહિત ની જગ્યાએ પોસ્ટર લાગ્યા છે. પોસ્ટર કોણે લગાવ્યા તે સવાલ ઉભો થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત