Team Chabuk-National Desk: ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબ પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કર્યા છે. હવે હરીશ ચૌધરીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. બે દિવસ પૂર્વે હરીશ રાવતે રાહુલ અને સોનિયા ગાંધી પાસે પંજાબ પ્રભારીના પદ પરથી મુક્તિની અપીલ કરી હતી. પાર્ટીએ હવે રાવતની વાત સ્વીકારી લીધી છે. હરીશ રાવતે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં પોતાની વ્યસ્તતાને લઈ આ અપીલ કરી હતી. પંજાબમાં હરીશ રાવતની જવાબદારી હવે હરીશ ચૌધરીના માથે આવી છે.

હરીશ ચૌધરીએ નવજોતસિંહ સિદ્ધુના રાજીનામા દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. સિદ્ધુ ઈકબાલ પ્રીત સિંહને ડીજીપી અને એપીએસ દેઓલને મહાધિવક્તા બનાવવાથી નારાજ ચાલી રહ્યા હતા. આ નારાજગી એટલી વધી કે સિદ્ધુએ અચાનક રાજીનામું આપી કોંગ્રેસ હાઈકમાન્ડને ચોંકાવી દીધા હતા, કારણ કે હાઈમાન્ડે હાલમાં જ સિદ્ધુની તમામ વાતો આગળ માથું નમાવ્યું હતું. આવી કપરી સ્થિતિમાં હરીશ ચૌધરીએ આખી ઘટનાને થાળે પાડવાનું કામ કર્યું.

હરીશ ચૌધરી રાજસ્થાન સરકારમાં રાજસ્વ મંત્રી છે. કોંગ્રેસને આશા છે કે પંજાબ કોંગ્રેસ પ્રભારી બનાવ્યા બાદ રાજસ્થાનની સીમાને અડકીને આવેલા પંજાબ વિધાનસભા સીટો પર પાર્ટીને ફાયદો મળશે. કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે જ્યારે વિખવાદ તેની ચરમસીમાએ હતો ત્યારે પણ પાર્ટીએ હરીશ ચૌધરીને પર્યવેક્ષક બનાવી પંજાબ મોકલ્યા હતા. આ સમગ્ર ઘટનાનો સરવાળો એ નીકળ્યો હતો કે પંજાબમાં કેપ્ટનની ઈનિંગ સમાપ્ત થઈ હતી અને સિદ્ધુના સૂર્યનો ઉદય થયો હતો. જોકે સિદ્ધુની કેપ્ટન બનવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું અને ચરણજીતસિંહ ચન્નીના હાથમાં પંજાબની કમાન આવી ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત