Team Chabuk-Political Desk: કોંગ્રેસમાં આવી અમરિન્દર સિંહને પદવિહોણા કરી નવજોતસિંહ સિદ્ધુએ પાર્ટીના અધ્યક્ષ પદને પણ અલવિદા કરી દીધું છે. પંજાબ કોંગ્રેસમાં યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. મંગળવારે પાર્ટી પ્રધાન નવજોતસિંહ સિદ્ધુએ 72 દિવસ પદભાર સંભાળી ચાલતી પકડી લીધી છે. એ પછી કેપ્ટન અમરિન્દરસિંહે ટ્વીટર પર પોતાનો બળાપો ઠાલવતા કહ્યું હતું કે, આ માણસ વિશ્વાસ કરવાને લાયક નથી તેવું મેં આ પૂર્વે જ કહ્યું હતું. સીમાવર્તી રાજ્ય પંજાબ માટે સિદ્ધુ યોગ્ય નથી.

પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નામે સંબોધિત ત્યાગપત્રમાં સિદ્ધએ લખ્યું કે, સમજૂતી કરવાથી વ્યક્તિનું ચરિત્ર પૂર્ણ થઈ જાય છે. હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડાની સાથે કોઈ દિવસ સમજૂતી નથી કરી શકતો. જેથી હું પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું. હું કોંગ્રેસની સેવા કરતો રહીશ.

કેપ્ટન અમરિન્દરસિંહે આ પહેલા જ પાર્ટીની અંદર જ રહેલા પોતાના વિરોધી નવજોતસિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશની સુરક્ષા માટે સંકટ સમાન ગણ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસમાં એક સમસ્યાના રૂપે છે. કોંગ્રેસે તેમને અધ્યક્ષ ન બનાવવા જોઈએ. સિદ્ધુ પાકિસ્તાન સૈન્ય પ્રમુખ બાજવા અને ત્યાંના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના મિત્ર છે. જો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તો હું વિરોધ કરીશ. અમરિન્દર સિંહે વધુમાં એમ પણ કહ્યું હતું કે, પંજાબ સરહદી પ્રાન્ત છે. જ્યાં સીમા પારથી અસ્થિરતા પેદા કરવા માટે હથિયાર મોકલવામાં આવી રહ્યા છે. આ સિવાય પાકિસ્તાનથી ડ્રગ્સ સતત આવતા રહે છે. એવામાં પંજાબની સુરક્ષા માટે લડતા રહીશું.

કેપ્ટને વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી પદ પર નવજોતસિંહ સિદ્ધુ તેમને બિલકુલ મંજૂર નથી, કારણ કે આ વ્યક્તિ પંજાબ માટે વિનાશ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, સિદ્ધુ કેબિનેટ મંત્રી તરીકે પોતાનો વિભાગ તો સંભાળી ન શક્યા, પંજાબ શું સંભાળશે?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત