Team Chabuk-Political Desk: યોગી આદિત્યનાથજી. હિન્દુત્વની વિચારધાર. મંદિર અને ગાય પર ભારોભાર પ્રેમ. ભાજપે સત્તામાં આવતા પૂર્વે રામ મંદિર બનાવી આપવાનું વચન આપ્યું હતું. એ એમણે પૂર્ણ કર્યું. રામ મંદિર બની રહ્યું છે. તોપણ બીજી ટર્મમાં યોગી આદિત્યનાથને જીત માટે નરો વા કુંજરો વા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. જ્યારે એક્ઝિટ પોલ આવ્યા ત્યારે ગત વર્ષ કરતા સ્થિતિ વિપરિત હતી. કોંગ્રેસના ધારાસભ્યો એક જ ઈનોવામાં બેસીને જાય તેવી સ્થિતિ. સપા અને ભાજપ વચ્ચે સીધી ટક્કર દેખાય. ચૂંટણી પહેલાથી સમાજવાદી પાર્ટી ભાજપને જબરદસ્ત ટક્કર આપી રહી હતી.
આવતીકાલે ખબર પડશે કે યુપીમાં કોણ રાજાભૈયા બને છે. ભાજપ ફરી આવશે કે અખિલેશ રિટર્ન થશે. રાજનીતિની શેરીઓમાં ચર્ચા ચાલી રહી છે કે ભૂતકાળના તમામ કિર્તીમાનોને કડડભૂસ કરી શું યોગી આદિત્યનાથ ફરી સત્તામાં આવશે? એક્ઝિટ પોલનું ત્રાજવું ભાજપ તરફ છે અને ભાજપ એક એવી પાર્ટી છે જે સત્તા માટે કંઈ પણ કરી શકે.
એક્ઝિટ પોલનું ગણિત સાચું પડે છે તો ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં એક એવી પાર્ટી તરીકે ઉભરશે કે જે સતત બીજી વખત સત્તામાં આવી હોય. જો યોગી આદિત્યનાથને ફરી ભાજપ મુખ્યમંત્રી બનાવે છે, તો યોગી ઉત્તર પ્રદેશના રાજનીતિક ઈતિહાસના એવા પ્રથમ રાજનેતા બનશે કે જેઓ સતત બીજી વખત મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા. સાથે જ પ્રથમ ટર્મમાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરી મુખ્યમંત્રી પદ માટેની શપથ લેનારા પણ ઉત્તર પ્રદેશના પ્રથમ રાજનેતા બનશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
