Team Chabuk-Political Desk: સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ગુરુવારે (18 મે) સાંજે બેંગલુરુ પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. CLP નેતા તરીકે ચૂંટાયા બાદ સિદ્ધારમૈયા રાજ્યપાલને મળ્યા અને સરકાર રચવાનો દાવો કર્યો. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને ટીમના સભ્યો સાથે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. શપથ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સિદ્ધારમૈયાને ચૂંટવાનો પ્રસ્તાવ ડીકે શિવકુમાર દ્વારા મૂકવામાં આવ્યો હતો. જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો.

અગાઉ ઘણા દિવસોના મંથન પછી કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને ડીકે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. સિદ્ધારમૈયા અને શિવકુમારની સાથે અન્ય ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. કોંગ્રેસે શપથ ગ્રહણ સમારોહ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને આમંત્રિત કર્યા છે.
કર્ણાટકમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે કોંગ્રેસમાં છેલ્લા ત્રણ દિવસથી મંથન ચાલી રહ્યું હતું. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે બુધવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ સિવાય બંને નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી હતી. ખડગેએ બુધવારે મોડી રાત સુધી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા સાથે પરામર્શ કર્યો અને પછી ગુરુવારે સિદ્ધારમૈયાને સીએમ બનાવવાની જાહેરાત કરવામાં આવી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
