Homeતાપણુંટિકિટ ન મળતાં એનસીપીમાંથી કાંધલ જાડેજાનું રાજીનામું, અપક્ષ ચૂંટણી લડે તેવી શક્યતા

ટિકિટ ન મળતાં એનસીપીમાંથી કાંધલ જાડેજાનું રાજીનામું, અપક્ષ ચૂંટણી લડે તેવી શક્યતા

Team Chabuk-Political Desk: ગુજરાતમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. પક્ષપલટાની અને રાજીનામાની મોસમ પણ પુર બહારમાં ખીલી છે. ત્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. ગત ચૂંટણી એનસીપીમાંથી લડીને ધારાસભ્ય બનેલા કાંધલ જાડેજાને આ ચૂંટણીમાં એનસીપીએ ટિકિટ નથી આપી. ટિકિટ ન મળતાં નારાજ થયેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે કાંધલ જાડેજા અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

વર્ષ 2012 અને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કાંધલ જાડેજા કુતિયાણા સીટ પરથી એનસીપીમાંથી ચૂંટણી લડ્યા હતાં. અને તેઓ આ બન્ને ચૂંટણીઓમાં આ બેઠક પરથી જીતીને એનસીપીના ધારાસભ્ય બન્યાં હતાં. જોકે, આ વખતે કેમ વિજેતા ઉમેદવાર હોવા છતાં એનસીપીએ કાંધલની ટિકિટ કાપી એ એક મોટો સવાલ છે. ટિકિટ કાપવાનું એક કારણ જોઈએ તો, એનસીપી સામાન્ય કોંગ્રેસની એલાયન્સ પાર્ટી તરીકે કામ કરતી હોય છે. જ્યારે રાજ્ય સભાની ચૂંટણીઓમાં દર વખતે કાંધલ જાડેજા ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપતા આવ્યાં છે. તેમ છતાં અત્યાર સુધી સીટ બચાવવા માટે એનસીપીએ તેમની સામે કોઈ પગલાં લીધાં નહોતા. જોકે, આ વખતે ટિકિટ કપાતા કાંધલે જાતે જ રાજીનામું ધરી દેવું પડ્યું છે.

ભાજપે પણ હવે કુતિયાણા બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધાં છે. એવામાં કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડીને આ વખતનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનાવી શકે છે. જેને કારણે આ વખતે કુતિયાણામાં એવી પણ શક્યતા છે કે એક સાથે ત્રિપાંખિયો નહીં પણ પાંચ-પાંચ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. કારણકે, ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત આ બેઠક પરથી એનસીપી અને અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments