આધેડ વયના થઈ ચૂકેલા મહારાજાની કામુકતાને ઉત્તેજન આપવા માટે ફ્રેન્ચ ડોક્ટરોએ એક નવો કિમીયો અપનાવ્યો હતો. મહારાજાની રાણીઓની યોનીમાં ખાસ પ્રકારના ઈન્જેક્શન આપવામાં આવતા હતા. ઈન્જેક્શનથી રાણીઓની કામુકત્તામાં વધારો થતો હતો. સેક્સ પ્રત્યે તેમની રૂચિ વધતી હતી. ગર્ભાશયમાંથી નીકળનારા સ્ત્રાવને કાચની સ્લાઈડમાં લઈને કર્નલ ફોક્સ માઈક્રોસ્કોપથી તપાસ કરતા હતા. ઈન્જેક્શન મારવામાં આવતું તેનાથી સુંગધ પેદા કરનારા બેક્ટેરિયામાં ગતિ આવતી હતી. જે રાણીઓ માસિકમાંથી પસાર થઈ રહી હોય તેમની દુર્ગંધ પણ આ રીતે જ સમાપ્ત કરવામાં આવતી હતી. મહારાજા પણ ફ્રેન્ચ ડોક્ટરોની આ અદભુત પદ્ધતિથી અભિભૂત થઈ ગયા હતા.
મહારાજાની આંખોને મજા આવે અને તેમની છાતીના ધબકારા વધી જાય આ માટે રાણીઓની છાતીનું ઓપરેશન કરવામાં આવતું હતું. બેડોળ અને લચીલા બની ગયેલા સ્તનોને ફરી સુડોળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. સર્જન ઓપરેશન દ્રારા લબડી પડેલા સ્તનોને ફરી કુંવારિકા જેવા કરી દેતા હતા. જેથી મહારાજા ભુપિન્દર ફ્રોમ પટીયાલા હિઝ હાઈનેસ તેના પ્રત્યે આકર્ષિત થાય.
આ માટે મહારાજા જ ઉદાહરણ આપતા હતા. મહારાજા ડોક્ટરોને હાથથી ઈશારો કરી કહેતા હતા કે, છાતીનો ભાગ અંડાકાર હોવો જોઈએ. નાશપતિ જેવો બનાવો આલ્ફાન્સો કેરી જેવા સ્તનો બનાવો. જેને ચુસી શકાય.
ભારતીય ડોક્ટરો નહોતા કરી શકતા પણ વિદેશથી આયાત કરેલા અને મહારાજાના મહેલમાં જ આટાફેરા મારતા ફ્રેન્ચ ડોક્ટરો આ કસબ કરી બતાવવામાં માહિર હતા. મહારાજા જે પ્રકારનું ફળ કે આકાર વિશે કહે અદ્દલ તેવી છાતી મહારણીની તૈયાર કરી દેવામાં આવતી હતી. રાજાની ઉત્તેજના વધારવાનું આ સાધન મહારાણીને ફરી સુંદરતા પ્રદાન કરતું હતું.
છાતી સાથે ચહેરાની સુંદરતાનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું. ફ્રેન્ચ ડોક્ટરો તેને પણ પોતાની કારીગરીથી મનમોહક બનાવી દેતા હતા. જેથી મહારાજાને તે કોઈ નવી યુવતી સાથે પ્રેમમાં પડ્યા છે અને રાત પસાર કરી રહ્યા છે તેવી અનુભૂતિ થાય.
મહારાજાએ હજામની દુકાનો મહેલમાં જ ખોલાવીને રાખી હતી. 350 મહારાણીઓ અહીં પોતાની સુંદરતાનો નિખાર લાવતી હતી. તેમના વાળને કાપવામાં આવતા હતા. એક સરખા કરી દેવામાં આવતા હતા. વધેલા નખની મરમ્મત કરી દેવામાં આવતી હતી. સાડીઓથી લઈને ઘરેણાં અને નીતનવા આભૂષણો પણ મહેલમાં રાખવામાં આવતા હતા. મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી એ વસ્તુઓ રોજ નવી નવી આવતી રહેતી.
મહારાણીઓ એ પહેરી તૈયાર થતી અને રાજાને લુભાવતી. મહારાજા પાસે પૈસા ઓછા નહોતા. વેપારીઓ આવતા અને કિંમત બોલતા. મહારાજા ભાવતાલ કરતાં નહીં અને જે પૈસા માગે તે આપી દેતા હતા. આ કારણે વેપારીઓને પણ મજા આવી જતી હતી. મહારાજા ભુપિન્દર સિંહના રાજમાં મહારાજા પછી કોઈ ધનવાન બન્યું હોય તો તે વેપારી પ્રજા જ બની હતી.
રાણીવાસની મહિલાઓના જ્યારે એક અથવા બે બાળકો થઈ જતા ત્યારે તેનું ઓપરેશન કરવામાં આવતું. જેથી વધારે બાળકો પેદા ન થાય. કુટુંબ નિયોજનની કળા ઓછા બાળકો પેદા થાય આ માટે નહીં પણ રાજા રાણી સાથે ગમે ત્યારે સંબંધો બાંધી શકે આ માટે હતી.
મહારાજાને કોઈ રાણી ખૂબ જ ગમે છે. તેના ઓપરેશનનો દિવસ હોય, તો મહારાજા ઓપરેશન સમયે ડોક્ટરોની માથે ઊભા રહેતા હતા. એક એક વાત ખૂબ ઊંડાણપૂર્વક તપાસીને જોતા હતા. તેમને પણ વાઢકાપમાં રસ જાગતો હતો. આ કારીગરીથી અન્ય રિયાસતો પણ આકર્ષિત થઈ હતી અને તેઓ પણ ફ્રેન્ચના કલાબાજ ડોક્ટરોને કહેણ મોકલવા લાગ્યા હતા.
ભારતીય ડોક્ટરોની સામે રાણીઓને સંકોચ થતો હતો, પણ યુરોપીય ડોક્ટરો પાસે તેમને સંકોચ નહોતો થતો. એક કતારમાં તમામ રાણીઓ નગ્ન થઈ જતી. ડોક્ટર તેને ઈન્જેક્શન લગાવી આપતા.
એક કુંવારી મહારાણી જેની સાથે મહારાજા રતિક્રીડા કરવાના હોય. પ્રથમ વખત મહારાણીનું શીયળ ભંગ થવાનું હોય તો તેને તકલીફ થતી. આ તકલીફમાંથી છૂટકારો અપાવવા ફ્રેન્ચ ડોક્ટર આવતા અને કુંવારિકા રાણી પર નાનું એવું ઓપરેશન કરી દેતા હતા. તેની યોનીમાં ઢીલાશ આવી જતી. મહારાજા અને મહારાણીને સંભોગમાં કોઈ સમસ્યા ન રહેતી.
મહારાણીઓને તો કોઈ સમસ્યા નહોતી કે તે સ્ટેટમેન્ટ આપી નહોતી શકતી, પણ મહારાજા તો એક જ હતા. મહારાજા સેક્સ લાઈફમાં આભલા ટાંકવા માટે ખાસ પ્રકારની દવાઓ અને વ્યંજનો આરોગતા હતા. ગાજર સાથે વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ તેઓ પેટમાં પધરાવતા. દવાઓની કિંમત 50થી 60 હજાર રૂપિયા રહેતી હતી. દવાઓનું સેવન કર્યા પછી મહારાજાના શરીરમાં તાકાત આવતી અને તેઓ ભોગ માટે તૈયાર થઈ જતા.
પટિયાલાના મહારાજા વિશે લેરિ કોલિન્સ અને ડોમિનિક લેપિયરના પુસ્તક અર્ધી રાત્રે આઝાદીમાં પણ ઉલ્લેખ છે. જેનો અશ્વિની ભટ્ટે અનુવાદ કર્યો છે. તેમાં મહારાજાના શરીરનું ચિત્ર વર્ણવ્યું છે. આ પુસ્તકમાં લખેલું છે કે, ‘છ ફૂટ ચાર ઈંચ ઊંચો. 300 રતલ વજનનો દેહ, કામાતુર હોઠ, કામુક આંખો, વળ દઈને સોઈની અણીઓ જેવી બનાવેલી લાંબી ભરાવદરા મૂછો, વીંટા વાળેલી દાઢી ધરાવતા એ શીખ મહારાજા, જાણે કોઈ મોગલ ચિત્રમાંથી બહાર આવેલા પાત્ર જેવા લાગતા હતા. પરિશ્રમ ભરેલા દિવસના અંતે વીસ રતલ જેટલો ખોરાક કે પછી ચાના સમયે બે મરઘીઓ આરોગી જાય તેટલી ભૂખ એ મહારાજાને લાગતી.’
મહારાજાના કક્ષમાં જે કામલીલાના ચિત્રો હતાં તે પ્રમાણે જ તેઓ આસન કરતાં હતા. કદાચ મહારાજા સિવાય એ આસન કઈ રીતે કરી શકાય, તે કોઈ નહીં સમજી શક્યું હોય, કારણ કે એ કક્ષમાં તો મહારાજા સિવાય કોઈને જવાની અનુમતિ નહોતી.
એ જ ઓરડામાં મહારાજાએ એક હિંડોળો બનાવેલો હતો. એ હિંડોળો ગ્રેવિટીને પડકાર આપતો હતો. એ સંભોગનું મુશ્કેલ લાગતું આસન તો મહારાજા સિવાય કોણ કરી શકે?
કામશક્તિ કેવી રીતે વધારવી તેની ડોક્ટરોમાં અંદરોઅંદર ચર્ચાઓ થતી હતી. મહારાજા પણ તેમાં હિસ્સો લેતા હતા અને એક નવા નિશાળીયાની માફક ધ્યાનપૂર્વક વાતને સાંભળતા હતા. કોઈ વાતમાં સંદેહ વર્તાય તો તુરંત આલ્બર્ટ આઇન્સ્ટાઈન બની તેમને પૂછી લેતા હતા. ફ્રેન્ચ ડોક્ટરોની એક વાત તો શોટ સર્કિટ જેવી હતી.
ડોક્ટરો બેઠા હતા. મહારાજાએ આસન ગ્રહણ કર્યું. ગઈ રાતની દવા પીધા પછી સેક્સ કેવું રહ્યું તેની વાત મહારાજાએ ડોક્ટરોની સામે મૂકી અને હવે ફ્રેન્ચ ડોક્ટરો તેની શું પ્રતિક્રિયા આપે છે તેના પર કૂતરાની જેમ કાન સરવા કરી સાંભળવા લાગ્યા.
ફ્રેન્ચ ડોક્ટરે ઊભા થઈ ખોંખારો ખાતા કહ્યું, ‘હિઝ હાઈનેસ. મારું માનવું છે કે રેડિયમ યુક્ત વિજળીથી નિર્માણ પામેલા કેટલાક બેનમૂન યંત્રો દ્વારા આપનો ઈલાજ કરવામાં આવે, તો શુક્રાણુઓની વૃદ્ધીની સાથે સાથે અંડકોષની કાર્યક્ષમતામાં પણ વધારો થાય. લિંગ કડક થાય અને કામોત્તેજનામાં વધારો થશે.’
મહારાજા આ વિષયથી ન ધરાતા તંત્રવિદ્યાના માર્ગે ચડ્યા. જેમાં કુંવારિકા કન્યાઓ ઉંમરલાયક થાય ત્યારે તેમને નગ્ન કરવામાં આવતી. તેમની ગરદન પરથી દારૂ રેડવામાં આવતો. જે તેના શરીર પરથી હળવે હળવે વહેતો સ્તન પરથી વહીને નીચેના અંગો સુધી પહોંચતો. મહારાજા અને અન્ય પુરૂષ ભક્તો એ મદીરાને ગ્રહણ કરતાં અને પ્રસાદી લીધાનું ગૌરવ સમજતા.
(ક્રમશ:)