Team Chabuk-Cinema Desk: કવિ અને ગીતકાર મનોજ મુન્તાશિર પોતાની કવિતાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલના ભોગ બન્યા છે. 2018-19માં મનોજનું પુસ્તક ‘મેરી ફિતરત હૈ મસ્તાના’ આવ્યું હતું. તેમાં એક કવિતા છે મુઝે કોલ કરના. લોકોનું કહેવું છે કે મનોજની આ કવિતા કોઈ અન્યએ લખી છે અને મનોજે તો માત્ર અનુવાદ કર્યો છે. લોકો મૂળ કવિતા પણ શોધી લાવ્યા છે અને સોશિયલ મીડિયા પર પૂરાવો આપી મનોજને ચોર ગણાવી રહ્યા છે.
200 पन्नों की किताब और 400 फ़िल्मी- ग़ैर फ़िल्मी गाने मिलाकर सिर्फ़ 4 लाइनें ढूँढ पाए? इतना आलस? और लाइनें ढूँढो, मेरी भी और बाक़ी राइटर्स की भी. फिर एक साथ फ़ुरसत से जवाब दूँगा. शुभ रात्रि! 😀
— Manoj Muntashir (@manojmuntashir) September 21, 2021
આ મુદ્દા પર મનોજ કશું બોલવા તૈયાર નહોતા પણ હવે તેમણે ટ્વીટર પર જવાબ આપ્યો છે, ‘200 પાનાનું પુસ્તક અને 400 ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો મળીને માત્ર ચાર લીટી શોધી શક્યા? આટલી આળસ? વધુ લાઈન શોધો. મારી પણ અને અન્ય લેખકોની પણ. એ પછી એક સાથે આરામથી જવાબ આપીશ. શુભરાત્રિ.’

જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં મનોજ પર એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ કવિતા મનોજની મોલિક નથી. 2007માં આવેલી આઈ રોબર્ટ જે લેવરીનું પુસ્તક લવ લોસ્ટ: લવ ફાઉન્ડની કવિતા કોલ મીનું હિન્દી ટ્રાન્સલેશન છે. જેને તેણે પોતાના પુસ્તકમાં અનુવાદ કરી છાપી માર્યું છે.

કેસરી ફિલ્મનું ગીત તેરી મિટ્ટી લખ્યા બાદ મનોજ વિવાદમાં રહેવા લાગ્યા છે. થોડા સમય પહેલા કબીર ખાને મુઘલોને અસલી રાષ્ટ્ર નિર્માતા કહ્યા હતા, એ પછી મનોજ મુન્તાશિરે એક વીડિયો શેર કર્યો હતો જેમાં મુઘલોને ડાકુમાં ખપાવ્યા હતા. મનોજે અકબર, જહાંગીર અને હુમાયુંને ડાકુ કહ્યા હતા. એ પછી ઋચા ચઢ્ઢા અને નીરજ ધેવાને મનોજની આલોચના કરી હતી.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ