Team Chabuk-Tech Desk: વનપ્લસ ભારતમાં વધુ બે દમદાર ફોન લઇને આવી છે. OnePlusએ નવા વર્ષમાં તેનો ફ્લેગશિપ ફોન Oneplus 12 અને Oneplus 12R લૉન્ચ કર્યો છે. આ બંને ફોનને ચીની કંપની ચીનમાં પહેલા જ લોન્ચ કરી ચુકી છે.
વનપ્લસ 12 5 ડિસેમ્બર 2023એ લોન્ચ કરાયો હતો. ભારતમાં હવે આ ફોનની એન્ટ્રી થઈ છે. ફોન 120 હર્ટ રિફ્રેશ રેટ 6.82-ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે મળી રહ્યો છે. ફોનની સુરક્ષા માટે ડિસ્પ્લેમાં ગોરિલ્લા ગ્લાસ છે. વનપ્લસ 12 ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તેમાં 12GB, 16GB રેમ ઉપલબ્ધ છે. 5400mAhની નૉન-રિમૂવેબલ બેટરી આ ફોનમાં મળી રહી છે.
OnePlus 12ના કેમેરાની વાત કરીએ તો, વનપ્લસ 12માં પાછળની બાજુમાં ટ્રિપલ કેમેરા સેટઅપ 50-મગાપિક્સલ (f/1.6) પ્રાઇમરી કેમેરા છે; એક 64-મેગાપિક્સલ (f/2.6, ટેલીફોટો) કેમેરા, અને એક 48-મેગાપિક્સલ (f/2.2, અલ્ટ્રા વાઇડ-એંગલ) કેમેરા મળી રહ્યો છે. સેલ્ફી માટે તેમાં સિંગલ કેમેરા સેટઅપ છે. ભારતમાં વનપ્લસ 12ની કિંમત 64 હજાર 999થી શરૂ થઈને 69 હજાર 999 સુધીની છે. જ્યારે વનપ્લસ 12આરની કિંમત 39,99 રુપિયા જેટલી છે.
OnePlus 11 પર ઓફર
OnePlus 12નું પ્રી-બુક કરનારા યુઝર્સને બેંક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે . ICICI બેંક કાર્ડ દ્વારા આ શ્રેણીની ખરીદી પર રૂ. 2,000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ સિવાય ફોનની ખરીદી પર EMI ઑફર પણ ઉપલબ્ધ છે. તો બીજી તરફ OnePlus 11ની ખરીદી પર પણ 3,000 રૂપિયા સુધીની બેંક ઑફર આપવામાં આવી રહી છે. જો કે, આ ઓફર માત્ર પસંદગીની બેંકોના કાર્ડ પર જ ઉપલબ્ધ હશે.
OnePlus 11 ના ફીચર્સ
OnePlus 11 બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકાય છે – 8GB RAM + 128GB અને 16GB RAM + 256GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 56,999 રૂપિયા છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 61,999 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ પછી, તમે 53,999 રૂપિયાની શરૂઆતની કિંમતે OnePlus 11 ખરીદી શકો છો. તે જ સમયે, તેનું ટોપ વેરિઅન્ટ 58,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તમે તેને બે રંગ વિકલ્પોમાં ખરીદી શકો છો – ઇટરનલ ગ્રીન અને ટાઇટન બ્લેક.
તાજેતાજો ઘાણવો
- T-20 World Cup માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન
- બજારમાં આવી રહી છે બજાજની સૌથી હેવી PULSAR 400, પહેલી તસવીર આવી સામે
- મહિસાગરઃ બે સગા ભાઈ બન્યા કાળનો કોળિયો, અજાણ્યા વાહને મારી ટક્કર
- હેપ્પી બર્થ ડે હિટમેનઃ રોહિત શર્મા 37 વર્ષનો થયો, પત્ની સાથે ઉજવ્યો જન્મદિવસ
- Covishield રસી બનાવનાર AstraZenecaએ સ્વીકાર્યું કે, રસીના કારણે આડઅસર થઈ શકે છે