Team Chabuk-Cinema Desk: કરીના કપૂર ખાને 9 જુલાઈના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખૂદ લખેલ એક પુસ્તકનું અનાવરણ કરવાની વાત પોતાના ફેન્સને કહી હતી. પુસ્તકના અનાવરણની વાત કરીનાએ પોતાના મોટા પુત્ર તૈમૂરના જન્મદિવસ પર કરી હતી. આ પુસ્તકનું નામ તેમણે ‘ધ પ્રેગનન્સી બાઈબલ’ રાખ્યું છે.
પુસ્તકમાં કરીના કપૂરે પોતાની પ્રેગનન્સી દરમિયાન શું શું અનુભવ કર્યા તે વ્યક્ત કર્યા છે. જોકે આ પુસ્તક બજારમાં આવતા પહેલા જ વિવાદોમાં સપડાઈ ગયું છે. આ વિવાદ એટલો ઉપડ્યો છે કે કરિનાની વિરુદ્ધ પોલીસ કમ્પલેઈન પણ ફાઈલ થઈ છે.
અલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘના પ્રમુખ આશીષ શિંદેએ મુંઈના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુસ્તકની લેખિકા કરીના કપૂર અને સહ લેખિકા અદિતિ શાહ ભિમજાનીની વિરૂદ્ધ આ કમ્પલેઈન ફાઈલ કરી છે. આશિષનું કહેવું છે કે પુસ્તકમાં પવિત્ર શબ્દ બાઈબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી ઈસાઈઓની ધાર્મિક ભાવનાઓને ઠોકર પહોંચી છે. આશિષે IPC સેક્શન 295-A હેઠળ આ ફરિયાદ દાખલ કરાવી છે.
આ સમગ્ર ઘટનામાં શિવાજી નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સાઈનાથ ઠોમ્બરેએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમને આ સંદર્ભે ફરિયાદ મળી છે. જોકે હજુ સુધી કેસ ફાઈલ કરવામાં નથી આવ્યો, કારણ કે આ ઘટના આ પોલીસ વિસ્તારના ક્ષેત્રમાં બની નથી. મેં તેમને અન્ય વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા જણાવ્યું છે.’
આલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘ પહેલા ઓલ ઈન્ડિયા માઈનોરિટી બોર્ડે પણ ‘પ્રેગનેન્સી બાઈબલ’ પુસ્તકને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. બોર્ડના પ્રેસિડન્ટ ડાઈમન્ડ યુસુફે કાનપુરમાં પોતાની આ ફરિયાદ મીડિયાની સામે કહી છે. સાથે જ જલ્દી જ પુસ્તકની લેખિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત પણ ઉચ્ચારી છે. હજુ સુધી આ પુસ્તક સાથે સંકળાયેલ એક પણ વ્યક્તિનું નિવેદન સામે નથી આવ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત