Team Chabuk-Entertainment Desk: સોની ટેલિવિઝન પર પ્રસારિત થતો પોપ્યુલર શો કોન બનેગા કરોડપતિમાં સુરેન્દ્રનગરની છત્રી જોવા મળી હતી. ગઈકાલે શુક્રવારે ટેલિકાસ્ટ થયેલા કૌન બનેગા કરોડપતિ શોમાં સોની સબ પર વર્ષોથી પ્રસારિત થતી પોપ્યુલર સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી સ્ટાર કાસ્ટ પહોંચી હતી. આ દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે અમિતાભ બચ્ચનને સુરેન્દ્રનગરની પ્રખ્યાત છત્રી ભેટમાં આપી હતી.
કૌન બનેગા કરોડપતિ શોમાં હોટ સીટ પર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક અને શોના પ્રોડ્યુસર અસિત મોદી બેઠા હતા. તે દરમિયાન પોપટલાલે શોના હોસ્ટ અમિતાભ બચ્ચન સમક્ષ એક ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું તમને એક ભેટ આપવા માંગુ છું જેને હું હંમેશા મારી પાસે રાખું છું, તે મારા દિલથી ખૂબ જ નજીક છે. તડકામાં, વરસાદમાં તે મારી સાથે જ હોય છે. હું મારા દિલની વાત તેની સાથે શેર કરું છું. આમ કહીને પોપટલાલ અમિતાભ બચ્ચનને એક સુંદર મજાની ભરતકામ કરેલી છત્રી ભેટમાં આપે છે.

છત્રી ભેટમાં આપીને પોપટલાલ છત્રી ખોલીને અમિતાભ બચ્ચનને બતાવે છે. અને કહે છે કે આ છત્રી ખાસ આપના માટે સુરેન્દ્રનગરથી મંગાવી છે. આ અનોખી છત્રીમાં કરેલું ભરતકામ અને કારીગરી જોઈને અમિતાભ બચ્ચન પણ ખુશ થઈ જાય છે.
પોપટલાલે સુરેન્દ્રનગરની છત્રી અમિતાભ બચ્ચનને ભેટમાં આપી#AmitabhBachchan #KBC #popatlal #tarakmehtakaooltahchashmah #surendranagar #umbrella #gift pic.twitter.com/64fO4ZkWie
— thechabuk (@thechabuk) December 11, 2021
મહત્વનું છે કે, આ પ્રકારની અનોખી ભરતગુંથળ કરેલી છત્રીઓ સુરેન્દ્રનગર પંથકમાં બનાવવામાં આવે છે. ખાસ કરીને આ પ્રકારની ભરતકામ કરેલી વિશેષ છત્રી થાન પાસેના તરણેતરના મેળામાં જોવા મળે છે. દર વર્ષે ભરાતા ગુજરાતના મોટા મેળા એવા તરણેતરના મેળામાં આ પ્રકારની છત્રી આકર્ષણનું કેન્દ્ર બને છે. મેળામાં આવી છત્રીઓ લઈને યુવાનો મ્હાલતા હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
