Team Chabuk-National Desk: સરકાર અને વિપક્ષની વચ્ચે હાહા અને હોહોમાં શરૂ થયેલું સંસદનું શિયાળું સત્ર આખરે ત્યાં જ અંત પામ્યું છે. બંને સત્ર બુધવારના રોજ સ્થિર થઈ ગયા. રાજ્યસભામાં આશરે 50 અને લોકસભામાં 19 કલાક જેટલો કિંમતી સમય થયેલી બઘડાટીના કારણે વેડફાયો હતો. સત્રની 18 બેઠકોમાં કોરોનાને છોડી ન તો કોઈ વિધેયક પર વાત થઈ, ન તો કોઈ મહત્વના મુદ્દા પર વાતચીત થઈ હતી. જોકે વિધાયી કામકાજ પર કોઈ પણ જાતની અસર પડી નહોતી. હંગામા વચ્ચે સરકારે 12 વિધેયક પસાર કર્યાં હતા.
સરકારે સમય પૂર્વે સદન સ્થગિત થવા બદલ વિપક્ષને જવાબદાર ઠેરવ્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ બંને સદનો સ્થગિત થતા કહ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારા પ્રયાસો છતાં વિપક્ષ હંગામો કરતું રહ્યું હતું. સમસ્યા અસલમાં બીજી છે. વિપક્ષને 2019માં ભાજપને મળેલો જનાદેશ પચી નથી રહ્યો. જેથી કાર્યવાહી સ્થગિત કરવા માટે અવિરત કૃત્રિમ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા.
સંસંદીય કાર્યવાહીમાં સતત અડચણ પડતી હોય નારાજ રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે હંગામાના કારણે સત્ર સમયથી પહેલા પૂર્ણ કરવું પડ્યું. હું બિલકુલ ખુશ નથી. સદન પોતાની ક્ષમતા કરતા ખૂબ ઓછું કામ કરી શક્યું.
રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાઅર્જુન ખરગેએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે બિલને વગર કોઈ ચર્ચાએ આરામથી પાસ કરાવવા માટે વિપક્ષી સાંસદોને નિલંબિત કરવામાં આવ્યા. સરકાર ચીન, મોંઘવારી, બેરોજગારી, લખીમપુર હિંસા જેવા મુદ્દાઓ ઉઠાવવા નથી ઈચ્છતી. જેથી જાણીજોઈને વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
