Team Chabuk-Political Desk: પાંચ રાજ્યના વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. પંજાબમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. પંજાબમાં કોંગ્રેસને પછાડી આમ આદમી પાર્ટી પ્રથમ વખત સત્તા તરફ જઈ રહી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. પંજાબમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો જાદુ એવો ચાલ્યો કે કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજોને ઘર ભેગા કરી દીધી છે. ત્યારે પરિણામની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
હાલ મતગણતરી ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓથી ઘણી આગળ ચાલી રહી છે. શરૂઆતના રુઝાનોને જોઈને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય તાકાત છે. અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન બનશે. આમ આદમી પાર્ટી હવે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના રૂપમાં કોંગ્રેસની જગ્યા લેશે.
રાઘવ ચઢ્ઢાએ પરિણામો પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, આ તમામના સહયોગથી શક્ય બન્યું છે. અરવિંદ કેજરીવાલને આ જીતનો શ્રેય જાય છે. પંજાબના લોકોએ આ ચૂંટણીમાં અમને આ ભેટ આપી છે. મહત્વનું છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ઝાડું ચાલ્યું છે. આમ આદમી પાર્ટીની સુનામીમાં કોંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુ, મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ સહિતના મોટા નેતાઓ પાછળ ચાલી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
