Team Chabuk-Political Desk: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. બાદમાં એકાઉન્ટને ફરી ચાલુ કરવામાં આવ્યું. કોંગ્રેસ પાર્ટીના ટ્વીટર હેન્ડલ પરથી આ અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીના ટ્વીટર એકાઉન્ટને કેટલાક સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી એ જાણકારી આપવામાં આવી હતી કે એકાઉન્ટ રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકી છે. એ બાદ એકાઉન્ટને અસ્થાયી રીતે લોક કરી દેવામાં આવ્યું છે. તો માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે રાહુલ ગાંધીના એકાઉન્ટને સસ્પેન્ડ કર્યું હોવાની જાણકારી આપી હતી.
રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યા બાદ કોંગ્રેસ આક્રામક મૂડમાં આવી ગયું હતું. કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી એવી જાણકારી આપવામાં આવી હતી કે, જ્યાં સુધી રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ ફરી સક્રિય નથી થઈ જતું ત્યાં સુધી તેઓ અન્ય સોશિયલ મીડિયા માધ્યમથી જનતા સાથે જોડાયેલા રહેશે. તેઓ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવતા રહેશે અને લડતા રહેશે.
The account has been temporarily locked. https://t.co/MYqpC8OeIb
— Congress (@INCIndia) August 7, 2021
કોંગ્રેસ દ્વારા આક્રમક તેવર દર્શાવવાના કારણે ટ્વીટરે જવાબ આપતા જણાવ્યું હતું કે, એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યું. ટ્વીટરે જણાવ્યું હતું કે જ્યારે કોઈ એકાઉન્ટ સસ્પેન્ડ થાય છે ત્યારે તેને ગ્લોબલ વ્યૂમાંથી હટાવી દેવામાં આવે છે.
શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું તેની કોઈ અધિકારિક જાણકારી તો પ્રાપ્ત નથી થઈ રહી, જોકે કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે દિલ્હીની નવ વર્ષીય રેપ પીડિતાના પરિવારજનોની સાથે મુલાકાત કરી હતી અને તેની તસવીર ટ્વીટર પર શેર કરી હતી. જેને ટ્વીટરે શુક્રવારના રોજ રાતે હટાવી દીધી હતી.
રાહુલ ગાંધીએ બુધવારના રોજ પીડિતાના પરિવારજનોની સાથે મુલાકાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ કાયદાની રુએ તેમની સાથે છે અને એક ઈંચ પણ પાછળ નહીં હટે. તેમણે આ તસવીર ટ્વીટર પર અપલોડ કરી હતી. જેને લઈ ભારતીય જનતા પાર્ટીએ નિશાનો સાધ્યો હતો. બીજી બાજુ રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગે પણ ટ્વીટર ઈન્ડિયાને નોટીસ પાઠવી હતી અને રાહુલ ગાંધીના ટ્વીટર અકાઉન્ટની વિરુદ્ધ એક્શન લેવાનું કહ્યું હતું.
એનસીપીસીઆરના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય બાલ સંરક્ષણ અધિકાર આયોગે ટ્વીટર ઈન્ડિયાને એક નોટીસ પાઠવી છે. જેમાં નવ વર્ષની બાળકીનો રેપ અને હત્યા કરવામાં આવી. બાળકીના માતા-પિતાની તસવીરો પોસ્ટ કરી પોસ્કો કાયદાનું ઉલ્લંઘન કરી રાહુલ ગાંધીના ટ્વીટર હેન્ડલની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત