Team Chabuk-National Desk: મહાત્મા ગાંધીની જયંતી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર વીડિયો મારફતે પ્રહાર કર્યા છે. તેમણે પોતાના ટ્વીટર એકાઊન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે ખેડૂત આંદોલનને લઈ સરકારને ઘેરી છે. લખ્યું છે, વિજય માટે માત્ર એક સત્યાગ્રહ જ પર્યાપ્ત છે. મહાત્મા ગાંધીને વિનમ્ર શ્રદ્ધાંજલિ.
“विजय के लिए केवल एक सत्याग्रही ही काफ़ी है।”
— Rahul Gandhi (@RahulGandhi) October 2, 2021
महात्मा गाँधी को विनम्र श्रद्धांजलि। #FarmersProtest pic.twitter.com/Jv5xsFuxkr
ગાંધી જયંતિ પર રાહુલ ગાંધીની તરફથી ટ્વીટર પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં મહાત્મા ગાંધીનું સત્યાગ્રહ આંદોલન અને ખેડૂત આંદોલન દેખાય છે. આ વીડિયોની શરુઆતમાં લખવામાં આવ્યું છે કે, ‘સત્યાગ્રહ ત્યારે અને હવે.’ અસત્ય અને અન્યાયની વિરૂદ્ધ ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો. આજે અન્નદાતા સત્યાગ્રહ કરી રહ્યા છે. વીડિયોમાં એ પછી ખેડૂતો પર કરવામાં આવેલા લાઠીચાર્જના ફૂટેજ દેખાડવામાં આવ્યા છે. એ પછી લખ્યું છે, અહીં દરેક હ્રદયમાં બાપુ છે. વધુ કેટલા ગોડસે લાવશો? તમારા અત્યાચારથી ડરતા નથી. તમારા અન્યાયની આગળ નતમસ્તક થતાં નથી. અમે ભારતના વાસીઓ છીએ. સત્યની રાહમાં રોકાતા નથી.

કૃષિ કાયદાના બિલને લઈ ખેડૂતો લાંબા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ખેડૂતોએ ભારત બંધનું આહવાહન કર્યું હતું. એ પહેલા પણ ખેડૂતો ઉગ્ર પ્રદર્શન કરી ચૂક્યા છે. આ આંદોલનને લઈ કોંગ્રેસ પણ સરકાર પર પ્રહાર કરવાની તક ચૂકતી નથી. કૃષિ કાયદાઓને પરત લેવાની માગણી કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
