Team Chabuk-Political Desk: એક બાદ એક રાજ્યમાં રાજકીય ભૂકંપ આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામા બાદ ગઈકાલે પંજાબમાં પણ રાજકીય ઉથલપાથલ જોવા મળી. હવે પંજાબ બાદ વધુ એક કોંગ્રેસ શાસિત રાજ્યમાં રાજકીય ચહલપહલ જોવા મળી છે. આ રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનમાં પણ રાજકીય સળવળાટ જોવા મળ્યો છે. કોંગ્રેસ પાર્ટી હજુ પંજાબના રાજકીય ઉભરાને શાંત કરવામાં પડી છે ત્યાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ઓએસડી લોકેશ શર્માએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. લોકેશ શર્માએ શનિવારે મોડી રાતે સાડા બાર વાગ્યે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી અશોક ગહેલોતને મોકલી આપ્યું છે.
રાજીનામા પાછળનું કારણ ખુદ લોકેશ શર્માએ પોતાના એક ટ્વિટને ગણાવ્યું છે. ટ્વિટમાં લોકેશ શર્માએ લખ્યું હતું કે, મજબૂત કો મજબૂર, મામૂલી કો મગરુર કિયા જાયે… બાડ હી ખેત કો ખાએ, ઉસ ફસલ કો કૌન બચાએ.. એટલે કે લોકેશ શર્માનું કહેવું છે કે તેમના આ ટ્વિટને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. તેમના આ ટ્વિટને પંજાબની રાજકીય ચહલપહલ સાથે જોડવામાં આવી રહ્યું છે. જે એકદમ ખોટું છે. તેથી તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.
લોકેશ શર્માએ પોતાના રાજીનામામાં લખ્યું છે કે, હું 2010થી ટ્વિટર પર સક્રિય છું. આજ સુધી મેં પાર્ટી લાઈનથી અલગ કોઈપણ એવા શબ્દો નથી લખ્યા જેને ખોટા કહી શકાય. મેં મારી મર્યાદાને ધ્યાનમાં રાખીને કોઈ પણ રાજનૈતિક ટ્વિટ નથી કર્યું. તેમ છતાં જો તમને લાગતું હોય કે મારાથી જાણી જોઈને કોઈ ભૂલ થઈ હોય તો હું રાજીનામું મોકલી રહ્યો છું. નિર્ણય તમારે કરવાનો છે.
Rajasthan | Lokesh Sharma, Officer on Special Duty (OSD) to Rajasthan CM Ashok Gehlot, has offered resignation after a tweet he posted on 18th September sparked controversy amid the political developments in Punjab pic.twitter.com/0ZmD0cMope
— ANI (@ANI) September 19, 2021
એ વાત પણ જગજાહેર છે કે પંજાબની જેમ રાજસ્થાનમાં પણ કોંગ્રેસમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. 2018માં વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે તણાવ ચાલ્યો આવે છે. ઘણી વખત બન્ને વચ્ચેનો આ ઝઘડો સપાટી પર પણ આવી ચૂક્યો છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા