HomeવિશેષToyota Recalling : ટોયોટાની આ શાનદાર કારને કંપનીએ રિકોલ કરવાની જાહેરાત કરી,...

Toyota Recalling : ટોયોટાની આ શાનદાર કારને કંપનીએ રિકોલ કરવાની જાહેરાત કરી, જાણો શું છે ખામી

Team Chabuk-Tech Desk : જાપાની કાર નિર્માતા કંપની ટોયોટાએ તેની 4,000થી વધુ કાર પરત મંગાવવાની જાહેરાત કરી છે. જેના કારણે ટોયોટા પોતાની કાર પરત મંગાવવા જઈ રહી છે. અમે તેના વિશે વધુ માહિતી આપવા જઈ રહ્યા છીએ. ટોયોટા તેની મધ્યમ કદની SUV કાર Toyota Urban Cruiser Highriderની 4,026 કારને રિકોલ કરશે. આ માટે કંપની દ્વારા સત્તાવાર રીતે કંપનીની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે.

રિકોલ કરવાનું કારણ

Toyota દ્વારા વેબસાઇટ પર આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, કંપનીએ તેની Toyota Urban Cruiser Highrider કારના પાછળના સીટ બેલ્ટના માઉન્ટિંગ બ્રેકેટમાં ખામી વિશે માહિતી મળતાની સાથે જ સંભવિત કાર્સ માટે રિકોલ જારી કરી છે. જેથી કોઈ નુકસાન થાય તે પહેલા તેને સુધારી શકાય.

કારોને રિકોલ કરવી બનશે ખર્ચાળ

ટોયોટા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 8 ઓગસ્ટ, 2022 અને નવેમ્બર 15, 2022 વચ્ચે ઉત્પાદિત ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર કારના 4,026 યુનિટ ઓળખવામાં આવેલી ખામીઓને સુધારવા માટે પાછા બોલાવવામાં આવશે.

શા માટે વાહનો પાછા બોલાવવામાં આવે છે?

કોઈપણ વાહનને રિકોલ કરવું એ સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે કોઈપણ વાહન ઉત્પાદક કંપનીને તેના વાહનોમાં સમાન ખામીની વારંવાર ફરિયાદો મળે છે અથવા કંપની પોતે તેની ઓળખી કાઢે. ત્યારબાદ તેને સુધારવા માટે વાહનોને પાછા બોલાવવામાં આવે છે. જો ખામી વધારે ગંભીર હોય, જેના કારણે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના છે. તો કંપની પણ જ્યાં સુધી ખામી દૂર ન થાય ત્યાં સુધી વાહનનો ઉપયોગ કરવાનો ઇનકાર કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments