Team Chabuk-Entertainment Desk: ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગઈકાલે ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લાએ બુધવારે રાત્રે સૂતા પહેલા કેટલીક દવા ખાધી હતી, પરંતુ બીજા દિવસે સવારે તે ઉઠી શક્યો નહતો. અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ તેના મોતની પુષ્ટિ થઈ હતી. મોત બાદ સિદ્ધાર્થ શુક્લાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જે બાદ આજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ ગુરુવારે સવારે 3.30 વાગ્યે ઉઠ્યો હતો. અભિનેતાએ તેની માતાને કહ્યું અને છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી. માતાએ પાણી આપ્યું અને તેને સૂઈ જવા કહ્યું હતું.
બીજા દિવસે સવારે અભિનેતાની માતા રીટા શુક્લાએ તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સિદ્ધાર્થ ઉઠ્યો નહતો. માતાએ નજીકમાં રહેતી પુત્રીને બોલાવી. પુત્રી અને જમાઈ મળીને સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. એમ્બ્યુલન્સમાં સિદ્ધાર્થને સવારે 9:40 વાગ્યે કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે બહેન, ભાભી, પિતરાઈ ભાઈ અને ત્રણ મિત્રો હાજર હતા. લગભગ 10:15 વાગ્યે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.
સિદ્ધાર્થ શુક્લના શરીરની ત્રણ વખત તપાસ કરવામાં આવી. અભિનેતાને આંતરિક ઈજાના નિશાન નથી અને શરીર સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. અભિનેતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું, જે ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર શુક્રવારે બપોરે 1 કલાકે કરવામાં આવશે. ટીવી અને બોલીવૂડના ઘણા દિગ્ગજ કલાકારો સિદ્ધાર્થના ઘરે હાજર છે.

સિદ્ધાર્થના મોત બાદ અભિનેતાની માતા અને તેની મિત્ર શહનાઝ ગિલની ખરાબ હાલત છે. શહનાઝ ગિલ તેની માતા સાથે સિદ્ધાર્થ શુક્લાના ઘરે છે. બંનેની હાલત ખૂબ જ ખરાબ છે. સિદ્ધાર્થની માતાએ કહ્યું કે તે વિશ્વાસ કરી શકતી નથી. તેમને લાગે છે કે પાછળથી તે આવશે અને કહેશે કે માતા મને આ આપો, માતા મને તે બનાવી દો. સિદ્ધાર્થની માતાએ ટ્રેનરને કહ્યું કે, મારા દીકરાને તારા માટે ખૂબ જ લગાવ હતો. તમે લોકો દિવસમાં કેટલી વાર વાત કરો છો? ટ્રેનરે કહ્યું- તે સાચું છે કે સિદ્ધાર્થ મને સૂતા પહેલા ફોન કરતો હતો અને તે સવારે ઉઠતાની સાથે જ મારી સાથે વાત કરતો હતો. ભાઈ હું સૂઈ જાઉં છું તેથી સવારે મારો ફોન ઉપાડજે. માતાને લઇને હું ખુબજ કન્સર્ન હતો, કારણ કે સિદ્ધાર્થ મારી માતાની સૌથી નજીક હતો. શહનાઝ પણ ત્યાં બેઠી છે. શહનાઝ સિદ્ધાર્થના ઘરે છે. તેણી પણ લાચાર હતી. તે વધારે બોલતી ન હતી. માત્ર એકલી બેઠી હતી. શહનાઝ સિવાય ઇન્ડસ્ટ્રીના પણ ઘણા લોકો હતા.
સિદ્ધાર્થે છેલ્લે #TheHeroesWeOwe દ્વારા ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી, જેની નીચે હાર્ટ લાઈન બનાવવામાં આવી હતી. આ સાથે સિદ્ધાર્થે એક મોટું કેપ્શન લખ્યું. દુ:ખની વાત છે કે, હાર્ટ લાઈનનો ફોટો શેર કરી મેડિકલ સ્ટાફની પ્રશંસા કરનાર સિદ્ધાર્થે પોતાના ધબકારા બંધ થઈ જવાના કારણે આજે આ દુનિયા છોડી દીધી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત