Homeવિશેષકપાસમાં ખુણીયા ટપકા અને પાંદના ટપકાથી પાકને કેવી રીતે બચાવશો?-ડો.ગની પટેલ

કપાસમાં ખુણીયા ટપકા અને પાંદના ટપકાથી પાકને કેવી રીતે બચાવશો?-ડો.ગની પટેલ

ડો.ગની પટેલ: મિત્રો સમગ્ર વિસ્તારના ખેડૂત મિત્રોને માહિતી મળી રહે તે હેતુથી ઘણા ખેતરની મુલાકાત લઈ વિવિધ પાકની સ્થિતિ જોઈ અને જાણીને રજૂ કરી રહ્યો છું. કપાસમાં વરસાદ પછી ઘણું નુકશાન દેખાય. વિવિધ રોગ દેખાય છે અને જેમાં હાલ છોડ સુકાયેલા નથી ને પાક બચી જાય તેવો છે, તેમાં પણ ધ્યાન દેવા જેવું છે. સતત વરસાદ પછી હવે સવારમાં ખૂબ ઝાકળ આવે છે. વરસાદની અસરથી પણ નુકશાન છે એટલે હાલ કપાસમાં ખુણીયા ટપકા અને પાંદના ટપકા (ઑલ્ટરનેરીયા) એમ બન્ને દેખાય છે.

Dr.Gani Patel-1

જેમ ઠાર વધુ આવશે તેમ ખુણીયા ટપકા વધતા જોવા મળશે જે પાંદ અને જીંડવા બન્ને ઉપર નુકશાન કરી ઉત્પાદન અને ગુણવત્તા બન્ને બગાડે છે, માટે તેમાં જે રોગ હોય તેને ઓળખી યોગ્ય દવાનો છંટકાવ કરવો જરૂરી છે. ઉપરોક્ત ફોટામાં દેખાતા નુકશાન માટે મારી સમજ મુજબ હાલ એક છંટકાવ ત્વરિત લેવા જેવો ખરો, આ છંટકાવમાં કોપર 40 ગ્રામ, સ્ટ્રેપ્ટોસાયકલીન દોઢ ગ્રામ અને ટ્રાયસાયકલાઝોલ 20 ગ્રામ અથવા એન્ટીટી 45 મિલી/પમ્પ મિક્સ કરી ખૂબ ઘાટો છંટકાવ કરવો.

Dr.Gani Patel-2

સ્ટ્રેપ્ટોસાયકલીન ઉપર પ્રતિબંધ આવી રહ્યો હોવાથી હાલ બધે ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યાએ ગ્રીનમસલ 20 મિલી લઈ શકાય. જે કપાસમાં હજુ કોઈ પ્રકારના ટપકા નથી દેખાતા તેવા કપાસમાં આગોતરા છંટકાવથી ખૂબ ફાયદો થશે. મને વિશ્વાસ છે કે આ માહિતી આપ સૌ અન્ય મિત્રો સુધી જરૂર પહોંચતી કરશો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments