Team Chabuk-Political Desk: ભારતીય જનતા પાર્ટીએ પોતાની નવી રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી કેટલાય દિગ્ગજોને સાયોનારા કહી દીધું છે. વરુણ ગાંધી અને મેનકા ગાંધી બાદ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખતા સુબ્રમણ્યમ સ્વામીને પણ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જગ્યા પ્રાપ્ત નથી થઈ. ભાજપ તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ ભલે સીધી પ્રતિક્રિયા આપી ન હોય, પણ તેમણે પોતાના ટ્વીટર હેન્ડલનો બાયો બદલી નાખ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટર હેન્ડલના બાયોમાં ખૂદને રાજ્યસભા સાંસદ, પૂર્વ કેબિનેટ મંત્રી, હાર્વર્ડથી અર્થશાસ્ત્રમાં પીએચડી અને પ્રોફેસર લખ્યું છે. જોકે આમાં કોઈ પણ જગ્યાએ તેમણે ભાજપનો ઉલ્લેખ સુદ્ધાં નથી કર્યો. તેમણે બાયોમાં લખ્યું છે કે, મેં તને બિલકુલ એવું આપ્યું, જેવું મને પ્રાપ્ત થયું. માનવામાં આવી રહ્યું છે કે ઈશારો સીધો ભાજપ પર છે, જેમણે નેતાજીને પદ પરથી હટાવી કાર્યવાહી કરી છે. ટ્વીટર પર સુબ્રમણ્યમ સ્વામીને રાષ્ટ્રીય કાર્યકારિણીથી હટાવવામાં આવતા તેમના અંગેની કેટલીય મસાલેદાર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

ભાજપે 307 સભ્યો ધરાવતી રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી બે વરિષ્ઠ નેતાઓ, મેનકા ગાંધી અને વરુણ ગાંધીને પહેલા જ પાણીચું પકડાવી દીધું છે. બંને નેતાઓએ ગત કેટલાક દિવસોમાં એવા નિવેદનો આપ્યા હતા જેનાથી ભાજપની છબીને નુકસાન પહોંચ્યું હતું. નવા જે ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે તેમાં, દિનેશ ત્રિવેદી, જ્યોતિરાદિત્ય સિંધિયા, વિજય બહુગુણા, સતપાલ મહારાજ, મિથુન ચક્રવર્તીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સુબ્રમણ્ય સ્વામી ભૂતકાળમાં ઘણી વખત ભાજપ પર પ્રહારો કરી છબીને નુકસાન પહોંચડતા રહ્યા છે. જેમનું તેમને મળેલું આ ફળ માનવામાં આવી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત