HomeસિનેમાવાદVaishali Takkar Suicide: ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ની અભિનેત્રીએ કરી આત્મહત્યા, પોલીસને...

Vaishali Takkar Suicide: ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ની અભિનેત્રીએ કરી આત્મહત્યા, પોલીસને મળી સ્યુસાઈડ નોટ

Team Chabuk-Entertainment Desk: ટીવી ઈન્ડસ્ટ્રીઝમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. જાણીતી ટીવી અભિનેત્રી વૈશાલી ટક્કરે (Vaishali Takkar) આત્મહત્યા (suicide) કરી લીધી છે. ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ ટીવી સિરિયલની અભિનેત્રી વૈશાલી ટક્કરે પોતાના ઈન્દોર સ્થિત ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સાથે જ વૈશાલીએ સ્યુસાઈડ નોટ પણ લકી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે, અભિનેત્રી વૈશાલી ટક્કર છેલ્લા 1 વર્ષથી પોતાના ઈન્દોર સ્થિત ઘરે રહેતી હતી. વૈશાલી ટક્કરની આત્મહત્યાની જાણકારી મળતાં જ પોલીસ તેના ઘરે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. પોલીસને વૈશાલીના મૃતદેહ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે. હાલ તેજાજી નગર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

વૈશાલી ટક્કર સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ 1 ઓક્ટોબરના રોજ મૂકી હતી. હાલ સ્યુસાઈડ નોટ પરથી પોલીસ તપાસ કરી રહી છે કે, વૈશાલી ટક્કરે આ પગલું ક્યાં કારણોસર ભર્યું. હાલ પોલીસ આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments