Team Chabuk-Political Desk: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના સાંસદ રાહુલ ગાંધી આજે સુરત આવશે. મોદી સરનેમવાળા નિવેદનને લઈને ચાલી રહેલા કેસમાં કોર્ટમાં હાજરી આપવા માટે આજે રાહુલ ગાંધી સુરત આવશે. મોદી સરનેમવાળા નિવેદન પર આજે સુરત કોર્ટ ચુકાદો સંભળાવશે.
મહત્વનું છે કે, એક ચૂંટણી જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. જેના પર ભાજપ ધારાસભ્ય અવે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી સુરત સેશન્સ કોર્ટમાં ત્રણ વખત હાજર થયા છે. ગયા શુક્રવારે કોર્ટે ચુકાદો સંભળાવવાની તારીખ 23 માર્ચ નક્કી કરી હતી. તેથી કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. અગાઉ સોમવારે, એડવોકેટ કિરીટ પાનવાલાએ કહ્યુ હતુ કે, કોર્ટ 23 માર્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની કથિત મોદી સરનેમવાળી ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં આદેશ આપી શકે છે. કોર્ટ જ્યારે ચુકાદો આપશે ત્યારે કોંગ્રેસના નેતા કોર્ટમાં હાજર રહેશે.
રાહુલ ગાંધી આજે સીધા સુરત એરપોર્ટ પહોંચશે. જ્યાંથી તેઓ કોર્ટમાં જશે. મોદી અટકને લઈને રાહુલ ગાંધી સામેનો આ માનહાનિનો કેસ ચાર વર્ષ જૂનો છે. જ્યારે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યુ હતુ કે ‘બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે? રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. બીજેપી ધારાસભ્યએ રાહુલ ગાંધીના નિવેદનને મોદી સમુદાયનુ અપમાન ગણાવ્યું હતું, જે બાદ મામલો સુરત કોર્ટમાં પહોંચ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં હાજર રહ્યા હતા. તેઓ છેલ્લે ઓક્ટોબર 2021માં પોતાનુ નિવેદન નોંધવા હાજર થયા હતા અને પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીના ભાષણની સીડી અને પેન ડ્રાઈવ સાબિત કરે છે કે તેમણે ખરેખર રેલીમાં ટિપ્પણી કરી હતી અને તેમના શબ્દોએ મોદી સમુદાયને બદનામ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
