HomeસિનેમાવાદSiddhaanth Vir Surryavanshi: ટીવી અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું હાર્ટ અટેકથી નિધન, જિમમાં વર્કઆઉટ...

Siddhaanth Vir Surryavanshi: ટીવી અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું હાર્ટ અટેકથી નિધન, જિમમાં વર્કઆઉટ કરતા બગડી તબિયત

Team Chabuk-Entertainment Desk: ટેલિવિઝન જગતમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીવી અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Siddhaanth Vir Surryavanshi) આજ રોજ 11 નવેમ્બરના રોજ નિધન (passaway) થયું છે. સવારે જિમમાં વર્કઆઉટ કરતાં સમયે જ 46 વર્ષીય સિદ્ધાંત સૂર્યવંશીનું મોત થયું હતું. સિદ્ધાંતને વર્ક આઉટ સમયે પહેલાં જિમમાં ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રેનર્સ તથા અન્ય સભ્યોએ તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાનમાં ના આવતા એમબ્યૂલન્સ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ સિદ્ધાંત સૂર્યવંશીને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ એક કલાક સુધી સિદ્ધાંતની સારવાર કરી હતી, પરંતુ 12.31 વાગે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સિદ્ધાંતે પોતાની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે આનંત સૂર્યવંશીના નામથી પણ જાણીતો હતો. સિરિયિલ ‘કુસુમ’થી તેણે ટીવી સિરિયલમાં ડેબ્યૂ કર્યું હતું. સિદ્ધાંત સૂર્યવંશીએ વિવિધ ટીવી શોમાં કામ કર્યું છે, જેમાં ‘કસૌટી જિંદગી કી’, ‘વારીસ’, ‘કૃષ્ણા અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’ સામેલ છે. સિદ્ધાંતના છેલ્લા ટીવી શો ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’ તથા ‘જિદ્દી દિલ’ હતા.

Siddhaanth Vir Surryavanshi

સિદ્ધાંતે વર્ષ 2000માં ઈરા સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2015માં બંને અલગ થઈ ગયા હતા. સિદ્ધાંત તથા ઈરાને એક દીકરી છે. ત્યારબાદ 2017માં સિદ્ધાંત સૂર્યવંશીએ એલિસા રાઉત સાથે લગ્ન કર્યા હતા. જ્યારે એલિસાને પહેલા લગ્નથી દીકરો માર્ક છે. મહત્વનું છે કે, રાજુ શ્રીવાસ્તવ અને દીપેશ ભાન બાદ આ ત્રીજા સેલિબ્રિટીનું જીમમાં વર્ક આઊટ દરમિયાન મોત થયું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments