Homeતાપણું‘ટ્વીટર મોદીના દબાણમાં કામ કરી રહ્યું છે, મારા ફોલોઅર્સ સતત ઘટી રહ્યા...

‘ટ્વીટર મોદીના દબાણમાં કામ કરી રહ્યું છે, મારા ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે’: રાહુલના સવાલ પર ટ્વીટરે આપ્યો આ જવાબ

Team Chabuk-Political Desk: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો છે કે તેમના ટ્વીટર પરના ફોલોઅર્સ દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. અંતિમ સાત મહિનામાં તેમના ટ્વીટર ફોલોઅર્સની સંખ્યામાં ચાર લાખ જેટલો વધારો થયો હતો. જોકે ઓગસ્ટ 2021 બાદ તેમના ફોલોઅર્સની સંખ્યા અવિરત ઘટી રહી છે.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર આ ઘટના સંલગ્ન રાહુલ ગાંધીએ ટ્વીટરને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે ટ્વીટર મોદી સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ 27મી ડિસેમ્બર 2021ના રોજ ટ્વીટરને પત્ર લખ્યો હતો, જેમાં ટ્વીટર એકાઉન્ટનો ડેટા પણ શેર કર્યો હતો. આ ડેટામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા શશિ થરુરની સાથે તુલના કરવામાં આવી હતી. હવે ટ્વીટરે આ પત્રનો જવાબ આપી દીધો છે.

ટ્વીટરે રાહુલ ગાંધીના પત્રના જવાબમાં કહ્યું છે કે અમે પણ ઈચ્છીએ છીએ કે ફોલોઅર્સની સંખ્યા એકાઉન્ટના હિસાબે ચાલે. પણ અમે એવું પણ માનીએ છીએ કે ફોલોઅર્સ વાસ્તવિક હોય. ટ્વીટરની પાસે હેરફેર અને સ્પેમ માટે કોઈ પણ જગ્યા નથી. અમે મશીન લર્નિંગ ટૂલ્સ દ્વારા દર અઠવાડિયે મોટી સંખ્યામાં ફોલોઅર્સ અને સ્પેમની છટણી કરી નાખીએ છીએ. એવામાં ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2021માં તેમના ફોલોઅર્સની સંખ્યા 54,803 ઓછી થઈ છે. સપ્ટેમ્બરમાં 1,327, ઓક્ટોબર 2,380 અને નવેમ્બરમાં 2,788. એવામાં પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સંખ્યા છે ત્રીસ લાખ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ટ્વીટર પર મારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. હાલ રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 19.6 મિલિયન છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments