Team Chabuk-Entertainment Desk: મુંબઈમાં અભિનેતા શાહરૂખ ખાનના (shah rukh khan) બંગલા મન્નતમાં (mannat) બે ચાહકો ઘુસી ગયા હોવાનો મામલો સામે આવ્યો છે. શાહરૂખ ખાનની એક ઝલક જોવા માટે મન્નતની સામે તેના ફેન્સની ભીડ વારંવાર જોવા મળતી હોય છે. પરંતુ બુધવારે બે યુવકે સિક્યુરિટીની નજરથી બચીને મન્નતની દિવાલ કુદીને અંદર પ્રવેશી ગયા હતા. એટલું જ નહીં આ બન્ને યુવકો બંગલાના ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા. જો કે બાદમાં બન્ને યુવકોને પકડી લેવામાં આવ્યા હતા અને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં ઘુસેલા આ બન્ને યુવકો સુરતના રહેવાસી છે. આ 20 થી 25 વર્ષની વયના યુવકો શાહરૂખ ખાનના ખૂબ મોટા ચાહક છે અને શાહરૂખ ખાનને મળવા માટે ગુજરાતથી આવ્યા હતા. યુવકો ‘મન્નત’માં પ્રવેશ્યા ત્યારે શાહરૂખ ખાન ઘરે હાજર નહોતો. પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે પોલીસે બંનેની પૂછપરછ કરી તો તેઓએ જણાવ્યું કે તેઓ ગુજરાતના રહેવાસી છે અને શાહરૂખ ખાનના ચાહક છે. તે શાહરૂખને મળવા ગુજરાતથી આવ્યા હતા.
પોલીસે કહ્યું કે, આ મામલામાં પરવાનગી વગર પરિસરમાં પ્રવેશવા સાથે આઈપીસીની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે વધુ તપાસ કરવામાં આવશે. બુધવારે રાત્રે જ્યારે આ ઘટના બની ત્યારે શાહરૂખ ખાન તે સમયે ‘જવાન’નું શૂટિંગ કરી રહ્યો હતો. ગુરુવારે વહેલી સવારે તે પાછો આવ્યો અને સૂઈ ગયો. જે બાદ ‘મન્નત’ના સુરક્ષા કર્મચારીઓએ અંદર છુપાયેલા બંને યુવકોને પકડી લીધા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
