HomeતાપણુંVIDEO: ભાજપને મત આપ્યો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો

VIDEO: ભાજપને મત આપ્યો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો

Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ અને ચાર વિધાનસભા સીટો પર પેટા ચૂંટણીને લઈ ટીએમસી દ્વારા ભાજપ સમર્થકોને ધમકાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. ભાજપના બંગાળના સહ પ્રભારી અને સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવીયે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તૃણમૂલના ધારાસભ્ય નરેન ચક્રવર્તી પર પાર્ટીના સમર્થકોને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. માલવીયે કહ્યું છે કે ચક્રવર્તી ભાજપના સમર્થકોને ધમકાવ્યા કે જો તેમણે ભાજપને વોટ આપ્યો તો ચૂંટણી બાદ અંજામ ભોગવવો પડશે.

DHOSA

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે આ ઘટના સંદર્ભે ચૂંટણી આયોગને પણ ધ્યાનમાં લેવાનો આગ્રહ કર્યો છે. માલવીયે ટીએમસી પ્રમુખ અને બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની આલોચના કરતા કહ્યું છે કે તેઓ આ પ્રકારના ધારાસભ્યોને સંરક્ષણ આપી રહ્યા છે. વીડિયોમાં ધારાસભ્ય નરેન ચક્રવર્તી ભાજપ સમર્થકોને કહી રહ્યા છે કે તેઓ તેને વોટ ન આપે. અન્યથા ચૂંટણી પશ્ચાત જોઈ લઈશું. તેઓ એમ પણ કહે છે કે જો તેઓએ ભાજપને વોટ ન આપ્યો તો તેઓ રાજ્યમાં રહી શકે છે અને કામ ધંધો કરી શકે છે. ટીએમસી તેમનું સમર્થન કરશે.

વીડિયો જાહેર કરતા માલવીયે કહ્યું કે, ટીએમસીના આસનસોલના પાંડવેશ્વરના ધારાસભ્ય નરેન ચક્રવર્તી ભાજપના સમર્થકો અને મતદાતાઓને ખુલ્લેઆમ ધમકાવી રહ્યા છે. તેઓ તેમને કહી રહ્યા છે કે મત ન આપો ન તો સમર્થન કરો અને જો ભાજપને વોટ આપ્યો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. આવા આરોપીઓને જેલમાં હોવું જોઈએ. પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમને સંરક્ષણ આપી રહ્યા છે. ચૂંટણી આયોગે તેના પર અવશ્યથી સંજ્ઞાન લેવું જોઈએ.

DHOSA

આસનસોલ લોકસભા સીટ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં બાબુલ સુપ્રિયોના રાજીનામાના કારણે ખાલી પડી હતી. તેઓ ભાજપના સાંસદ હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયા બાદ તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. તેમણે રાજકારણમાં નહીં જોડાવ તેવું નિવેદન આપ્યું હતું પણ બાદમાં તૃણમૂલ કોંગ્રેસમાં વિલય થઈ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments